Tuesday, February 14, 2012

જીંદગી : શક્ય નથી કે ઉતરી પડીએ અધવચારે, જીવવું શું છે કેવળ વાઘસવારી

૧) થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિ ની શાક્ષી એ લગ્ન થાય છે અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિ નો સાક્ષાત્કાર થાય છે.

૨) ધૂળ જેવી છે આ જીંદગી આપણી, આંસુડા રેડી એમાં કીચડ ના કર.

૩) કાયદાની શીક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કર્યું કે અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને સઘળી ટ્યુશન ફી પછી મેળવી.

૪) સંતાન ને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો, આખરે તો એ માબાપ ને જ અનુસરશે.

૫) બરફ જેવી છે આ જીંદગી, જેનો ભૂતકાળ પણ પાણી ને ભવિષ્ય કાળ પણ પાણી.

૬) પ્રશ્નો તો રહેવાનાજ. સુખી લોકો ને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભુખ લાગે અને દુખી લોકોનો પ્રશ્ન છે કે ભુખ લાગે છે પણ શું કરીએ?

૭) ઈશ્વર નું બેલેન્સ કેવું અદભુત છે. પાંચ મણ ની ઘઉં ની બોરી ઉપાડી શકે તે મજુર એકીસાથે ખરીદી ના શકે અને જે ખરીદી શકે તે તેને ઉપાડી ના શકે.

૮) કેટલાક લોકો નું દિલ દરિયા જેવું વિશાળ હોય છે જેમાં એક ચકલું એ તેની તરસ છીપાવી ના શકે.

૯) અને છેલ્લે
શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહે તે મોત
ઈચ્છાઓ ખૂટી જાય અને ફક્ત શ્વાસ જ બાકી રહે તે મોક્ષ.

No comments:

Post a Comment