Tuesday, February 14, 2012

શ્રેષ્ઠતા ની પરીભાષા

એક વખત હું ફરતા ફરતા એક Under Construction મંદિર પાસે પહોંચ્યો. જોયું તો એક મૂર્તિકાર મૂર્તિ બનાવતો હતો. હું તેને જોવા લાગ્યો. પણ આ શું મૂર્તિકાર જે મૂર્તિ બનાવતો હતો તદ્દન તેવી જ એક મૂર્તિ તો તેની બાજુમાંજ પડી હતી. આ જોઈ મને થોડી આશ્ચર્ય થયુ. મેં પેલા મૂર્તિકાર ને પૂછ્યું કે ભાઈ તું એકજ ભગવાન ની બે મૂર્તિ બનાવે છે કે શું? મૂર્તિકારે જવાબ આપ્યો "ના, મારે તો ફક્ત એક જ મૂર્તિ બનાવવાની છે. પેલી મૂર્તિ તો પૂરી થવામાં જ હતી ત્યાં તે થોડી ખરાબ થઇ ગઈ."

હું તે મૂર્તિ પાસે ગયો. મને થયું કે જોવા તો દે આ મૂર્તિ માં શું ખરાબી છે? લગભગ અડધો કલાકના મથામણના અંતે મને તો તે મૂર્તિ માં કોઈ ખરાબી દેખાઈ જ નહિ. એટલે મેં મૂર્તિકાર ને પૂછ્યું કે ભાઈ આ મૂર્તિ માં એવી તો શું ખરાબી છે કે તું ફરી પછી મહેનત કરી ને બીજી મૂર્તિ બતાવવા લાગ્યો? તે મૂર્તિકારે કહ્યું કે તેના નાક પાસે એક નાનકડો કાપો પડી ગયો છે.હું વિચાર માં પડી ગયો. મેં બારીકી થી નિરીક્ષણ કર્યું છતાં પણ મને કઈ દેખાયું નહિ અને આ મૂર્તિકાર કહે છે કે નાક પાસે એક નાનકડો કાપો છે એટલે એ બીજી મૂર્તિ બનાવવા લાગી ગયો. આખરે તો હું વાણીયો ને એટલે મેં તે મૂર્તિકાર ને પૂછ્યું, "તારે આ મૂર્તિ ક્યાં ગોઠવવાની છે?" મૂર્તિકારે કહ્યું કે પેલા વીસ ફુટ ઉંચા પીલર પર. મેં કહ્યું કે ભાઈ મને બે ફુટ દુરથી આ નાક પાસે નો કાપો દેખાયો નહિ તો બીજા લોકો ને વીસ ફુટ દુરથી ક્યાં દેખાવાનો છે. કોને ખબર પડવાની છે કે ત્યાં નાક પાસે કાપો છે. આ સાંભળી મૂર્તિકારે મારી સામે જોયું અને આંખોમાં એક અજબ સી ચમક સાથે કહ્યું, "મને તો ખબર છે ને."

Excellence does not require audit, feedback or comments from others. શ્રેષ્ઠતા નું સાચું પરિમાણ તો તમારું મન જ છે. તેને અન્યના આધાર ની જરૂર નથી. એક રીતે જોવા જઈએ તો મૂર્તિકારને વ્યવ્હારું ના ગણતા જીદ્દી કહી શકો પરંતુ શ્રેષ્ઠતા એ જીદ્દી લોકો ની જ નિશાની છે. ગાંધીજી જીદ્ધી હતા એટલેજ શ્રેષ્ઠ હતા. દાંડીયાત્રા વખતે તે બધાના મંતવ્યો માંગવા નહોતા ગયા. મેં તો અકેલા ચલા થા, કાંરવા બનતા ગયા એમ એ તો નીકળી પડ્યા. તેમણે એટલું જ જોયું કે તેમની યાત્રા નું પરિણામ પ્રજા માટે શ્રેષ્ઠ છે.

આપણે ઘણી વખત આપણા કરતા બીજા ના આપણા કામ પ્રત્યેના મંતવ્યો પર આધાર રાખીએ છીએ. લોકો ને કેવું લાગશે? લોકો આ ઘટના ને કેવી રીતે જોશે? તેઓ મારા વખાણ કરશે કે નિંદા? આવું કદાચ તમે વિચારતા હો તો એમાં તમારો વાંક નથી. નાનપણ થી જ તમારું એક Programming કરવામાં આવ્યુ છે, ભણતા હતા ત્યારે શિક્ષકોના મંતવ્યો, ઘરમાં મોટેરાઓ ના મંતવ્યો, દોસ્તો ના મંતવ્યો, સહકર્મચારીઓ ના મંતવ્યો, બોસ ના મંતવ્યો, સંતાનો ના મંતવ્યો, પત્ની ના મંતવ્યો, સગા સંબંધીઓં ના મંતવ્યો અને આ મંતવ્યો ની વચ્ચે રહેતા રહેતા તમને તમારા પોતાના મંતવ્યો નો આવાજ દાબીજ દીધો છે. આજે પ્રતિજ્ઞા કરો કે દરેક કાર્ય નું જયારે અવલોકન કરવાનું હોય ત્યારે સૌપ્રથમ તમે તમારા મન નો આવાજ સાંભળશો.

જીવન માં જયારે પણ નિર્ણય કરવામાં, હા કે ના માં દ્વિધા અનુભવો ત્યારે ખીસ્સામાંથી એક સિક્કો કાઢી ને Toss કરો. એટલા માટે નહિ કે તે તમને નિર્ણય કરવામાં મદદ કરે, પરંતુ એટલા માટે કે જે સમય દરમ્યાન કિંગ છે કે ક્રોસ્સ એ ખબર નથી તે સમયગાળા દરમ્યાન તમને તમારા હૃદય નો અવાજ સંભાળવાનો મોકો મળશે. તમને એ ખબર પડશે કે તમારું મન શું ઈચ્છે છે.

No comments:

Post a Comment