Tuesday, February 14, 2012

ઓટો સજેશન

આપણુ મન એક બગીચા જેવું છે, આપણા ઘર જેવું છે. શું આપણે આપણા ઘરમાં કોઈ અજાણ્યા ‌વ્યક્તિ ને ઘુસવા દઈશું? કોઈ એવા વ્યક્તિ ને ઘુસવા દેશું કે જે તમને અથવા તમારા ખૂબ સારી રીતે સજાવેલા ઘર ને નુકશાન પહોંચાડે? વેલ, મોટાભાગે તો જવાબ ના માંજ હોઈ શકે. પરંતુ જયારે આપણે મન નો વિચાર કરીએ ત્યારે આપણે ઘણી વખત નેગેટીવ વિચારો ને આપણા મન માં પ્રવેશવા દઈએ છીએ. જે આપણા મન ને તો નુકશાન પહોંચાડે જ છે પરંતુ શરીર ને પણ ઘણું નુકશાન પહોંચાડે છે. દરેક સવાર ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે. પ્રકૃતિ ના તમામ અનુભવો માં ઈશ્વરની છબી નજરે પડશે, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ.

તો આજથી મનોમન નક્કી કરીએ કે કદી કોઈ નેગેટીવ વિચારને આપણા મન ઉપર કાબુ કરવા નહી દઇએ.મન એ ઈશ્વરે આપેલ સુંદર બગીચો છે જેમાં આશારૂપી ફુલ ખીલે છે. આ બગીચામાં નેગેટીવ વિચાર રૂપી જંતુ ઓં ને પ્રવેશવા ના દઈએ.

રોજ સવારે નીચે મુજબ આપણા મન ને ઓટો સજેશન આપીએ.
---------------------------------------------------------------------------------------------

આજથીહું મનોમન નક્કી કરું છુ અને દ્રઢપણે માનું છુ

હું એટલો મક્કમ છુ કે કોઇપણ ઘટના મારી માનસિક શાંતિ હણી શકતી નથી. હું દરેક સમયે પ્રફુલ્લિત અને આનંદિત રહું છુ. મારાજીવન માં બનતી તમામ ઘટનાઓ ને હું ઈશ્વરના આશીર્વાદ રૂપે માનું છુ.

હું મારી જાત ને દરેક પળે
એટલો વિશાળ અનુભવું છુ કે કોઈ ચિંતા હણી શકે જ નહિ.
એટલો ઉમદા અનુભવું છુ કે ક્યારેય ક્રોધ સવાર થઇ શકે જ નહિ.
અને એટલો પ્રસન્ન અનુભવું છુ કે વિપદાઓ ક્યારેય ફરકી શકેજ નહિ.
હું સંપૂર્ણપણે સ્વ ના કાબુ માં છુ.

હું જેને મળું છુ તે બધા સાથે મારો વાતો નો વિષય ફક્ત સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ જ હોય છે.

હું મારા મિત્રો ને એવી અનુભૂતિ કરવું છુ કે તેમનામાં કૈક છે.

હું દરેક બાબતની ફક્ત સારી જ બાજુ નિહાળું છુ અને મારા હકારાત્મક આશાવાદ ને સાચો પાડવા દિલ થી સંપૂર્ણ પ્રયત્નો કરું છુ.

હું મારા સ્વવિકાસ માં એટલો રચ્યો પચ્યો રહું છુ કે અન્ય વિષે ટીકા કે ટીપ્પણી કરવાનો મારી પાસે સમય જ નથી.

હું ફક્ત શ્રેષ્ઠ બાબતો વિષે જ વિચારું છુ, શ્રેષ્ઠ બાબતો પરજ કામ કરું છુ અને ફક્ત શ્રેષ્ઠની જ અપેક્ષા રાખું છુ.

હું બીજાની સફળતા માટે એટલો ઉત્સાહી રહું છુ જેટલો મારી સફળતા માટે હોઉં.

No comments:

Post a Comment